સમુહ લગ્ન
સમુહ લગ્ન એ સમાજ ની
હારળફાળ પ્રગતિ કરવાનો એક કિમીયો છે જો આજ થી ૧૦ સાલ પહેલા તમારા સમાજ મો સમુહ
લગ્ન નો રિવાજ હોતો તો આજે તમારા સમાજે કેટલી પ્રગતિ કરી હોત જરા વિચારો કે એક
જલસા વાળી શાદી પાછ્ળ એક સામાન્ય નાગરીક નો ખર્ચ કેટલો થતો હોય છે ? તો
શાદી કરવા વાળા ની શુ દશા આવતિ હશે એટલે જ ઘણા લોકો ને આ જલસા વાળી શાદી થી નફરત
છે કેમ કે તેઓ કરે શુ ? ધારો કે એક માણસ ની શાદી છે જે ને શાદી મો
અંદાજે ૫,૦૦,૦૦૦/- પાંચ લાખ
ખર્ચ થવા નો છે, જો એ માણસ સારી વિચારાસરણી વાળો હોય અને તે
સમુહ લગ્ન મો શાદી કરે અથવા ઘરે ઘર મેળે ૧૦,૦૦૦/- થી ઓછા
ખર્ચ મો હાથગણા કે દહેજ લેવાની આશા વગર શાદી કઅરે તો તેને અંદાજે ૫૦,૦૦૦/- નો ખર્ચ થવાનો તો તે વધેલી ૪,૫૦,૦૦૦/- ની રકમ મો
ભાડા ના મકાન મો તેમની પતિન કે પતિ ના નામે દવાખાનુ, શાળા, મદ્રેશા, ચલાવે તો સમાજે
ને કેટલો ફાયદો થશે આતો માત્ર એક જ માણસ નો દાખલો આપુ છુ આવુ તમે બધા વિચાર છો તો
ક્યોક આપણા નામનુ દવાખાનુ, શાળા, મદ્રેસા, ચબુતરા, નજરે પડશે, તો આજે જ આ
ટુંકા શબ્દો મુ લોબો વિચાર કરી ને તમારા સમાજો મો સમુહ લગ્નોની શરૂઆત કરો અને જો
સમુહ લગ્ન ની શરૂઆત થઈ હોય તઓ તેમો સામેલ થાઓ અને સમાજ ને આગળ લાવવા સહ્ભાગી બનો.
જે સમાજો મો સમુહ લગ્ન ચાલે છે ત્યો અમુક લોકો સમાજ ની થતિ ઉત્તરોત્તર થતિ પ્રગતિ
થી પીડાય ને અલગ શાદીઓના તાયફા કરતા હોય છે તો આવા લોકો ને માટે આખા સમાજે એક મત
થઈ ને જડબાતોડ જવાબ આપવો કે તેમના ત્યો જવુ જ નહી, જવુ તો હાથગણુ
કરવુ નહી. અને જે લોકો ને અલગ શાદી કરવાનો શોખ હોય તો તેમેણે હાથગણા અને દહેજ લેવા
પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ અને ઓછા ખર્ચે શાદી કરવી અને વલીમા નુ આયોજન કરશો તોજ
ઉજ્જ્ડ બની ગયેલા સમાજો મો એક નવી રોશની ના સીતારા ઉગી નીકળશે...
લેખ—હારૂનખાન.એમ.વિહારી
,મેપડા
0 Comments
Thank you for visiting our blog and Comments.