વડગામ તાલુકા ના નાગરપુરા ગામે વીસ ગામ ગોળ રાવત સમાજનો તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો.


            આજ તા. 20/04/2025 ના રોજ વડગામ તાલુકાના નાગરપુરા ગામે વીસ ગામ રાવત સમાજ ના તૃતીય સમૂહ લગ્ન યોજાયો જે કાર્યક્રમ ના અધ્યક્ષશ્રી અનવરખાન બિહારી ના અધ્યક્ષ સ્થાને સૂર્ય કિરણ રાવત દ્વારા શુભ ઉદ્ઘાટન કરી સમૂહ લગ્ન ના શરૂઆત કરેલ જે કાર્યક્રમ ના ભોજન ના દાતાશ્રી ગોવિંદભાઈ રાવત ગોરીસણા એ આપેલ અને આ સમૂહ લગ્ન માં તેર દંપતીઓ એ પ્રભુતાના પગલા માંડ્યા હતા અને આ કાર્યક્રમ વીસ ગામ ગોળ રાવત સમાજ ના પ્રમુખ શ્રી મૂળજીભાઈ રાવત અને તેમની ટીમ દ્વારા સમુહ લગ્નમાં પરણિત દંપતીઓ ભેટ, સોગાદો આપી સફળતા પૂર્વક સંપૂર્ણ સમૂહ લગ્નના કાર્યક્રમ નું સંચાલન કરી દંપતીઓ ને વિદાય આપી કાર્યક્રમ ને સફળતા પૂર્વક સંપન્ન કરેલ.



આવતા ચોથા સમૂહ લગ્ન ના ભોજન ના દાતા તૃતીય સમૂહ લગ્ન ના અધ્યક્ષશ્રી અનવરખાન બિહારી, જૂની નગરી રહેલ છે. જેઓને ટ્રસ્ટ વતી બાદરપુરા ના મનહરભાઈ રાવત દ્વારા ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવેલ. 



Post a Comment

0 Comments