વડગામ તાલુકાના બાદરપુરા ગામ ના ડો. જીગર કુમારે Bds ડિગ્રી પ્રાપ્ત કરી બાદરપુરા ગામ નું તથા રાવત સમાજ નું ગૌરવ વધાર્યું....

વડગામ તાલુકા નું બાદરપુરા ગામ છેવાડાનું ગામ છે જે ગામ માં અનુસૂચિત જાતિ ના રાવત સમાજ ની બહુમતી ધરાવે છે આ સમાજ માં ઘણા સમય પહેલાં લોકો અભણ અને ખુબજ અશિક્ષિત હતા પણ અત્યારે બાળકો શિક્ષણ તરફે આગળ વધી રહ્યા છે તે એક શિક્ષણ ની મજબૂતી છે. 
તાજેતર માં બાદરપુરા ગામ ના રાવત મોતીભાઈ દલાભાઈ ના નાના પુત્ર બીડીએસ ની ડિગ્રી પ્રાપ્ત કરી છે જે બાદરપુરા ગામ તથા રાવત સમાજ માટે ગૌરવ ની ક્ષણ ગણી શકાય તેમ છે, માતા પિતા અભણ હોય અને પુત્ર ડૉક્ટર બને એ અનેરું ગૌરવ ગણી શકાય.
ડો.જીગર કુમારે સાંકળચંદ યુનિવર્સિટી માં Bds ની ડિગ્રી હાંસલ કરેલ છે તે બદલ અભિનંદન .

Post a Comment

0 Comments